Wednesday, 14 August 2024

આઈસીટી યોજના હેઠળ મળેલ કોમ્પ્યુટર લેબ તથા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલ સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન

શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કુલ માં આજરોજ જનતા કેળવણી મંડળના શ્રી રાજેશભાઈ ડી શાહના વરદ હસ્તે સરકાર શ્રી દ્વારા મળેલ બે આઈસીટી લેબનું તથા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા સરકાર શ્રી તરફ થી મળેલ 15 સ્માર્ટ બોર્ડ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના સ્ટાફ મિત્રો કેમ્પસ ડિરેક્ટર મહેશભાઈ ગાંધી સાહેબ તેમજ મંડળના ખજાનચી અજયભાઈ શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસરમાં આજે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલ જંબુસર
તારીખ 12/08/2024 ને સોમવાર 
   આજરોજ અત્રેની શાળામાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી દિલિપ આર. ભટ્ટ, શ્રી કમલેશ પટેલ, શ્રી આર.જી.પટેલ, શ્રી વી.એમ.દેસાઇ અને NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી મિનહાજ વાય. માલા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન અંતર્ગત વિસ્તૃત સમજણ આપી હતી. ત્યાર બાદ નશામુક્ત ભારત અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. સદર કાર્યક્રમ સમગ્ર આયોજન NSS પ્રો.ઓ. એમ.વાય.માલા અને વ્યા.શિક્ષક શ્રી વી.એમ.દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...