જંબુસર તાલુકાની શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કૂલ ખાતે શાળાના આચાર્ય શ્રીમાન દિલીપ ભટ્ટ સાહેબ અને સંપર્ક વાલી મંડળ ના કન્વીનર શ્રી રવિકુમાર સોલંકી દ્વારા વાલી સંમેલનનું તારીખ 11 થી 14 સપ્ટેમ્બર 2023 સુધી સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જાગૃત વાલીઓએ હાજર રહી બાળકોના અભ્યાસ, પરીક્ષાની પૂર્વ તૈયારી બાળકોના સ્વાસ્થ્ય શાળા શિસ્ત નિયમો વિશે વિસ્તૃત ચર્ચા કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી હતી જેમાં સૌ વાલી મિત્રોનો મોટી સંખ્યામાં સાથ જોવા મળ્યો હતો. ઉપરાંત વાલીઓ સાથે શાળા-અભ્યાસ-શિસ્ત વિશે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી જેમાં વાલીઓ શાળાની કામગીરીથી ખૂબ જ ખુશ જણાયા હતા.
તેમજ શાળાના ઉમા વિભાગના સુપરવાઇઝર શ્રી મતી હીનાબેન એન ગામીત માધ્યમિકના સુપરવાઇઝર શ્રી ગોહિલ સાહેબ તેમજ શાળાના સિનિયર શિક્ષક શ્રી આર જી પટેલ સાહેબ તથા કે એ પટેલ સાહેબે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ શ્રી ટંડેલ સાહેબે પરીક્ષા લક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
અંતિમ તબક્કામાં સંપર્ક વાલી મંડળની રચના કરવામાં આવી હતી જેના પ્રમુખ તરીકે શ્રી રાકેશભાઈ માલીની નિમણૂક કરવામાં આવેલ છે,ઉપરાંત 12 જેટલા સભ્યોની પણ નિમણૂક કરવામાં આવેલ હતી.
No comments:
Post a Comment